રાજકોટ શહેરના જીલ્લા પંચાયત ચોક ખાતે ૯ વાગ્યા બાદ ઘરની બહાર નીકળનાર ૪૦ લોકો સામે ગુન્હો નોંધાયો છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સવારે ૫ થી રાત્રી ૯ વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સવારે ૮ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની પણ સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. રાજકોટમાં જીલ્લા પંચાયત ચોક ખાતે એ.સી.પી ડિયોરા તેમજ પી.આઈ વી.એસ. વણઝારા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૯ વાગ્યા બાદ બહાર નીકળનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અવી. જેમાં ૪૦ જેટલા લોકો સામે કેસો નોંધાયા છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment